loader-missing
 ||  જાહેરાત માટે

ઘરમાં ભગવાનના ફોટા ક્યાં ન લગાવવા જોઈએ?

ઘરમાં ભગવાનના ફોટા ક્યાં ન લગાવવા જોઈએ?

આપણી ધાર્મિક માન્યતાઓમાં એક એ પણ માન્યતા છે કે, બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી, એ સાથે આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આખરે ભગવાનની પ્રતિમા કે ફોટો કેમ ના લગાડવો જોઇએ? આ ફોટાઓનો એવો શો પ્રભાવ હોય છે કે તેને લગાડવા માટે મનાઇ કરવામાં આવી છે.

વાસ્તવમાં આ આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે, આ કારણ ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે કહ્યું છે, બેડરૂમમાં નહીં.કારણકે બેડરૂમએ આપણી અંગત જિંદગીનો હિસ્સો છે કે જ્યાં આપણે આપણા જીવનસાથી સાથે સમય વિતાવીએ છીએ.

બેડરૂમમાં એ આપણી સેક્સ લાઇફ સાથે જોડાયેલો છે. જો ત્યાં આપણે ભગવાનનો ફોટો લગાડીએ તો આપણા મનોભાવોમાં પરિવર્તન આવવાની આશંકા છે અને તે પણ સંભવ છે કે આપણી અંદર વૈરાગ્ય ભાવ આવી જાય અને આપણે દામ્પત્યથી વિમુખ રહીએ છીએ. આનાથી આપણી સેક્સ લાઇફ પણ પ્રભાવિત થાય અને ગૃહસ્થીમાં અશાંતિ પણ ઉત્પન્ન થઇ શકે છે. 

આ જ કારણથી ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે સલાહ આપવામાં આવી છે, પણ હાં જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે બેડરૂમમાં બાળ ગોપાળનો ફોટો લગાડવો જોઇએ.