loader-missing
 ||  જાહેરાત માટે

જલ્દી લગ્ન થાય એમ ઇચ્છો છો? આ વાસ્તુ ટિપ્સ અપનાવો

જલ્દી લગ્ન થાય એમ ઇચ્છો છો? આ વાસ્તુ ટિપ્સ અપનાવો

- વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
- વાસ્તુ પ્રમાણે લગ્નમાં થઇ રહેલા વિલંબ પાછળ વાસ્તુદોષ અગત્યનો ભાગ ભજવે છે.

લગ્નમાં વિલંબ આવવા પાછળ ઘણાં કારણ હોઇ શકે છે. વાસ્તુદોષનું પણ એક પ્રમુખ કારણ હોઇ શકે છે. જો તમે પણ પોતાના સંતાનના લગ્નમાં થઇ રહેલા વિલંબથી ચિંતિંત હો તો આ વાસ્તુદોષ પર વિચાર કરો.


૧ – લગ્ન યોગ્ય યુવક- યુવતીઓએ ઉત્તર કે ઉત્તર- પશ્ચિમ દિશામાં સ્થિત રૂમમાં રહેવું જોઇએ.

૨ – લગ્ન યોગ્ય યુવક- યુવતીઓના રૂમમાં અને દરવાજાનો રંગ ગુલાબી, આછો પીળો, સફેદ (ચમકીલો) હોવો જોઇએ.

૩ – જો કોઇ લગ્ન યોગ્ય યુવક- યુવતી લગ્ન માટે તૈયાર ના હો તો તેના કક્ષમાં ઉત્તર દિશાની તરફ ક્રિસ્ટલ બોલની કાચની પ્લેટ અથવા પ્યાલી રાખવી જોઇએ.

૪ – જો લગ્ન પ્રસ્તાવમાં અડચણો આવી રહી છે તો લગ્ન વાર્તાલાપ માટે ઘરે આવેલા અતિથિઓ એ પ્રકારે બેસાડવા કે તેમનું મો ઘરના અંદરની તરફ રહે. તેમને ઘરનું દ્વાર ના દેખાય.

૫ – જો મંગળ દોષના કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેના રૂમના દરવાજાનો લાલ અથવા ગુલાબી રાખવો જોઇએ.

૬ – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હો ત્યાં નીચે લોખંડની વસ્તુઓ કે વ્યર્થનો સામાન રાખવો નહીં.

૭ – જો લગ્નના પૂર્વે છોકરા- છોકરી ઘરના સભ્યોની પરવાનગીથી મળવા માંગે તો બેઠક વ્યવસ્થા એ પ્રકારે રાખો કે જેનું મુખ દક્ષિણામુખી ના હોય.